જ્ઞાતિ-સમાજના છ પ્રકારના લોકો...
જ્ઞાતિ-સમાજનાં સંસ્થા-મંડળોના વહીવટ વિશે તથા વહીવટકર્તાઓ વિશે થોડીક વાતો કરી અગાઉ હતી. આજે એવાં સંસ્થા-મંડળ અને તેના વહીવટકર્તાઓ સાથે સમાજના લોકો તરફથી કેવા વ્યવહારો થતા હોય છે એની વાત કરવી છે. સામાન્ય રીતે દરેક સમાજમાં છ પ્રકારના લોકો હોય છે : એક પ્રકાર એવો છે કે જે પોતે કશું જ કામ કરવા કે સમાજ માટે સહેજ પણ ઘસારો વેઠવા તૈયાર નથી હોતો, છતાં તે વહીવટ કરનારાઓની ભૂલો શોધી-શોધીને, ખણખોતર કરી-કરીને એની માત્ર ટીકા જ કર્યા કરતો હોય છે. આ વર્ગના લોકો ખામીઓ શોધવામાં એટલા બધા એક્સપર્ટ હોય છે કે કોઈ પણ સારામાં સારા કાર્યમાંથી પણ કંઈક તો નેગેટિવ બાબત શોધી જ બતાવે ! એવું કરે ત્યારે જ એમને સંતોષ થાય ! દૂર બેઠાબેઠા પથરા નાખવાનો ઉદ્યમ તેમને માફક આવી ગયો હોય છે. એમનું લક્ષ્ય ટીકાઓ કે વિરોધ કરતા રહીને પોતાનું ઇમ્પોર્ટન્સ પુરવાર કરવાનું જ હોય છે. બીજા પ્રકારના લોકો દૂર બેઠા-બેઠા વણમાગી ડાહી ડાહી સલાહો આપવાનું શૂરાતન બતાવતા રહે છે. એમની ફેમિલીમાં એમની સલાહને ભલે કોઈ ગાંઠતું ન હોય, પણ સમાજની સંસ્થા કે મંડળને તેઓ વારંવાર (મોંઘેરી ?) સલાહ આપતા રહે છે : તમારે આમ કરવું જોઈએ અને તમારે તેમ કરવું જોઈએ ! તમાર...