ચવદાર તળાવ સત્યગ્રાહ...
ચવદાર તળાવ સત્યગ્રાહ... ********************* બાબાસાહેબ નો સૌપ્રથમ સત્યાગ્રહ એટલે ચવદાર તળાવ સત્યાગ્રહ (20 માર્ચ 1927). જીવનમા મીઠા કરતા પાણીનુ મહત્વ વધારે હોય છે, પરંતુ મનુવાદી મિડિયા એ મી. ગાંધી ના મીઠા સત્યાગ્રહ ને જેટલુ આજદીન સુધી દર્શાવ્યુ છે તેની સરખામણીમા બાબાસાહેબ ના ચવદાર તળાવ (પાણી) સત્યાગ્રહ ની માત્ર ઉપેક્ષા જ કરી છે. આ ચવદાર તળાવ પશ્ચિમ મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં મહાડ જિલ્લાના (હાલમાં રાયગડ જિલ્લામાં) કોલમ્બા નગરમા આવેલુ છે. તળાવની આજુબાજુ એ સમયમાં હિન્દુ વસાહત હતી અને તેની મધ્યમાં તે આવેલુ હતું. આ તળાવ એક જૂનુ તળાવ છે અને તેને કોણે બનાવ્યું છે અથવા ક્યારે બનાવ્યું હતું તે કોઈને ખબર નથી. પરંતુ 1869 માં જ્યારે સરકાર દ્વારા મહાડ શહેર માટે પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તેને સરકાર દ્વારા નગરપાલિકાને સોંપવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ તેને મ્યુનિસિપલ એટલે કે જાહેર તળાવ તરીકે ગણવામાં આવતુ હતુ. બાબાસાહેબે લોકોને સમજાવ્યુ કે જાહેર સ્થળેથી પાણી પીવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. મહાડ એક વ્યવસાય કેન્દ્ર હતુ. તે તાલુકાનું મુખ્ય મથક પણ હતુ. અસ્પૃશ્યોએ કાં તો ખરીદી કરવાન...