Posts

ચવદાર તળાવ સત્યગ્રાહ...

Image
ચવદાર તળાવ સત્યગ્રાહ... ********************* બાબાસાહેબ નો સૌપ્રથમ સત્યાગ્રહ એટલે ચવદાર તળાવ સત્યાગ્રહ (20 માર્ચ 1927). જીવનમા મીઠા કરતા પાણીનુ મહત્વ વધારે હોય છે, પરંતુ મનુવાદી મિડિયા એ મી. ગાંધી ના મીઠા સત્યાગ્રહ ને જેટલુ આજદીન સુધી દર્શાવ્યુ છે તેની સરખામણીમા બાબાસાહેબ ના ચવદાર તળાવ (પાણી) સત્યાગ્રહ ની માત્ર ઉપેક્ષા જ કરી છે. આ ચવદાર તળાવ પશ્ચિમ મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં મહાડ જિલ્લાના (હાલમાં રાયગડ જિલ્લામાં) કોલમ્બા નગરમા આવેલુ છે. તળાવની આજુબાજુ એ સમયમાં હિન્દુ વસાહત હતી અને તેની મધ્યમાં તે આવેલુ હતું. આ તળાવ એક જૂનુ તળાવ છે અને તેને કોણે બનાવ્યું છે અથવા ક્યારે બનાવ્યું હતું તે કોઈને ખબર નથી. પરંતુ 1869 માં જ્યારે સરકાર દ્વારા મહાડ શહેર માટે પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તેને સરકાર દ્વારા નગરપાલિકાને સોંપવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ તેને મ્યુનિસિપલ એટલે કે જાહેર તળાવ તરીકે ગણવામાં આવતુ હતુ.  બાબાસાહેબે લોકોને સમજાવ્યુ કે જાહેર સ્થળેથી પાણી પીવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. મહાડ એક વ્યવસાય કેન્દ્ર હતુ. તે તાલુકાનું મુખ્ય મથક પણ હતુ. અસ્પૃશ્યોએ કાં તો ખરીદી કરવાન...

દલિતો વિરુદ્ધ ગાંધી

 *દલિતો ગાંધીને કેમ પોતાના સમાજનો સૌથી મોટો દુશ્મન માને છે, ચાલો જાણીએ આપણા એ ભૂંડા ઈતિહાસને જેને “પુના કરાર” તરીકે ઓણખવામાં આવે છે. ટૂંકમાં બાબાસાહેબ આપના સમાજ માટે અંગ્રેજો પાસેથી છીનવીને લાવેલ "ડબલ મતાધિકાર".આપણને સાહજીક પ્રશ્ન થાય કે આ “અલગ મતાધિકાર વળી શું ? અને બાબા સાહેબે તેની માંગણી કેમ કરી હશે ? અને તેનો હેતુ શો હશે ?બાબાસાહેબ એક રાજનીતિશાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિ હતા. તેઓ ઇચ્છતા હતા કે ભારતની ધારાસભામાં આપણા સમાજનો ચુંટાયેલો પ્રતિનિધિ સાચા અર્થમાં આપણો પ્રતિનિધિ હોવો જોઈએ. અલગ મતાધિકાર સમજવા આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ૧૩ સીટો અનુસુચિત જાતિ માટે આરક્ષિત છે, પરંતુ તેમાં વોટિંગ જે તે વિધાન સભાના મત વિસ્તારના બધા જ વર્ગોના મતદારો દ્વારા થાય છે. તેના બદલેગુજરાતને ૧૩ ભાગમાં વહેંચી નાખવામાં આવે અને આવા પ્રત્યેક ૧૩ વિભાગોમાં આપણા સમાજના જ વ્યક્તિઓ ઉમેદવારી નોધાવે અને તેમને ફક્ત આપણા સમાજના જે તે વિભાગના મતદારોના વોટથી ચૂંટવામાં આવે અનેતે આપણા સમાજનો પ્રતિનિધિ બની વિધાનસભા માં જાય. આવો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ અન્ય સમાજના લોકોના વોટનો મોહતાજ ના રહે અ...

મુક્તિ માર્ચ...

મુક્તિ માર્ચ: (૨૮ ઓગસ્ટ, ૧૮૯૩) ધારોકે તમે ૧૮૯૩ના વર્ષમાં ટાઇમ ટ્રાવેલ કરીને પાછા પહોંચી શકો. અને ધારોકે તમારી પાસે કોઇ વિમાન હોય જેમાં બેસીને તમે સમગ્ર દેશનું વિહંગાવલોકન કરી શકો તો, કદાચ આવા ચિત્ર તમારી આંખોને દેખાય. જો તમે બોમ્બે-પૂનાના આકાશ પર હોવ તો, મેલાધેલા મજૂરીયા દલિતો કે જેમની ડોકમાં હાંડી ભરાવવામાં આવી હોય તથા પાછળ સાવરણી બાંધવામાં આવી હોય. થોડા હજી વધુ સાઉથમાં જાવ તો હાલમાં જેને કેરલ કહે છે તેના કેટલાક ભાગમાં કદી ત્રાવણકોર સ્ટેટ હતું. તમે એના આકાશ પરથી દેખો તો દેખાય કે દલિત મહિલાઓ પોતાના સ્તન ઢાંકી શકતી નહોતી. જો ઢાંકવા હોય તો, 'સ્તન કર' આપવો પડતો. રાજ્યનો ટેક્ષ કલેકટર ઘરેઘરે જયીને દલિત મહિલાઓના સ્તનનું નિરીક્ષણ કરતો. સ્તનના સાઇઝ અને જથ્થાના ધેરાવાના આધારે એ ટેક્ષ નક્કી કરતો. જે ભર્યા બાદ જ, મહિલાને પોતાના સ્તન ઢાંકવાની પરમિશન મળતી. તમે ખેતરોમાં દેખો તો મોટા ભાગના મજૂર, દલિતો હતા. તેમને સ્મશાનનો કે પાણી ભરવાનો પણ હક્ક નહોતો. એમને જાહેર રસ્તે ચાલવાનો પણ હક્ક નહોતો. તેમને સવર્ણ કાસ્ટ ના તથા ખાસ કરીને બ્રાહ્મણો પહેરે તેવા કપડાં પહેરવાનો પણ હક્ક નહોતો. આ બધું ...

દલિત નેતાઓ...

Image

વિનોદ કુમાર મલ્લ, IPS - દલિતોનું ગૌરવ...

વિનોદ કુમાર મલ્લ, IPS DGP(Police Reform) વિનોદ કુમાર મલ્લ પૂર્વ ઉત્તર પ્રદેશના નિવાસી છે. તેમની જાતિ મલ્લાહ કહેવાય છે જે હવે OBC માં આવે છે. જ્યારે વિનોદ મલ્લ IPS થયા (1986માં) ત્યારે તેઓ જનરલ કેટેગરીમાં જ IPS થયા હતા કારણકે તે વખતે OBC અનામત જ નહોતું. વિનોદ કુમાર મલ્લ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના Alumni છે. તેઓ JNU ની એ આદર્શ પેઢીના સભ્ય છે જે સમાજવાદી, બિનસાંમ્પ્રદાયિક વિચારધારાને દિલથી માને છે. તે જમાનામાં JNUમાં ભારતના સૌથી ગરીબ પણ લાયક  વિદ્યાર્થીઓ તેમજ ભારતના સૌથી ધનાઢ્ય તથા લાયક લોકો એક સાથે ખભેખભો મિલાવી ને JNUમાં ભણતા હતા અને દેશમાં સમાજવાદ લાવવાની લડત લડતા અને દેશના સૌથી ગરીબ પરિવારો વતી સંઘર્ષ કરતા હતા. તેઓ જાતિ વિહીન, બિનસાંમ્પ્રદાયિક સમાજ ની કલ્પના કરતા હતા અને તે માટે સંઘર્ષ કરતા હતા.  તે જમાનામાં જાડી ખાદીનો ઝબ્બો-લેંઘો પહેરીને વિશ્વ રાજકારણની વાત કરતો JNUનો વિદ્યાર્થી હોવું ગૌરવની વાત હતી, આજે પણ છે, પણ હવે કદાચ તેટલું જોરદાર વાતાવરણ નથી રહ્યું.  કનૈયા કુમાર તેવા વિદ્યાર્થીઓનો આજનો સૌથી તેજસ્વી અને પ્રખ્યાત પ્રતિનિધિ છે. આવા ક્રાંતિકારી વાતા...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?

ભારતની સંસદમાં “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989” નામનો કાયદો પસાર કરવામાં આવ્યો અને કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યો. આ સિવાય વર્ષ 2016માં સરકારે આ કાયદામાં કેટલાંક સંસોધન કરી અને વધુ કડક જોગવાઈઓ સાથેના નવા સંસોધનો 14 એપ્રિલ, 2016ના રોજ આ કાયદો લાગૂ કરવામાં આવ્યો. જે લોકો અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્ય નથી તે તમામ લોકોને આ કાયદો લાગુ પડે છે. જેઓ જો કોઈ વ્યક્તિ SC-ST સમુદાયના સભ્યને હેરાન-પરેશાન કરે તો, તેની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અંતર્ગત કાયદાકીય કાર્યવાહી થાય છે. આ અપરાધ માટે તેણે IPCની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત પણ સજા સંભળાવાય છે. આ કાયદો પીડિતોને વિશેષ રક્ષણ પૂરૂ પાડે છે. આ કાયદો ક્યારે લાગુ પડે ? SC-STના લોકોને જાહેરમા અપમાનિત કરવા અને જબરદસ્તીથી એમને મળ-મૂત્ર ખવડાવવું, સામાજિક બહિષ્કાર કરવો, SC-STના લોકો સાથે વ્યવસાય કરવાનો ઈનકાર કરવો અથવા SC-ST હોવાથી નોકરી કે કામ ન આપવું, SC-ST સાથે મારપીટ કરવી, જમીન પડાવી લેવી, ભીખ માંગવા પર મજબૂર કરવા, બાંધેલો મજૂર બનાવવો, ચ...

પાખંડીનો વિરોધ જરૂરી...

જરાક સમય મળે તો વાંચો અને પછી વિચારો... ભારત દેશમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. અને વિચારવા જેવી વાત એ છે કે તમામ ભારતમાં જ જન્મેલા છે. કોઈનુંય જન્મસ્થળ ભારતની બહાર નથી... કેમ?  સૃષ્ટિની ઉત્પતિ બ્રહ્માએ કરી...! આવું હોય તો બ્રહ્મા યુનિવસઁલ ગોડ તરીકે સમગ્ર વિશ્વમાં પુજાતા હોત..ભારત બહાર કોઈ અન્ય દેશમાં બ્રહ્માને કોઈ ઓળખતું પણ નથી.. ચાલો એ જવા દો.... બધાજ દેવી દેવતાઓના વાહન જુઓ... એકેયની પાસે ભારતમાં જોવા મળે એ સિવાયનાં કોઈ પ્રણી નથી... કેમ વાઘ, સિંહ, ઉંદર, બકરી,..? કાંગારૂ, કિવી, ઝીબ્રા, જિરાફ,डायनासोर કેમ નહી..? જયારે ધરતી પર અધમઁનું આચરણ વધ્યું પાપીઓનાં પાપ વધ્યા ત્યારે વિષ્ણુંએ અવતાર લઈ ધરતીને પાપીઓથી મુક્ત કરી. તો જ્યારે અછૂતો પર છેલ્લા 5000 વરસોથી આટઆટલા અત્યાચાર કરવામાં આવતા હતા ત્યારે અવતાર કેમ નહી? ત્રેતાયુગમાં રામે શુદ્ર શંબૂકની હત્યા કરી. કારણ શંબૂક શુદ્ર હતો અને વેદોનો અભ્યાસ કરી રહ્યો હતો.  શુદ્ર શંબૂકના વેદ અભ્યાસથી દુરના કોઈ ગામોમાં બ્રાહ્મણના પુત્રો મરી  ગયા છે એ કારણ આપી અભ્યાસ કરી રહેલા શુદ્રની રામે હત્યા કરી શું કામ..? એકલવ્ય પોતાની જાતે દુનિયાનો...