આંબેડકરવાદી હોવાના ઘણા ફાયદા...

1. ભગવાનના નામે કોઈ દાન દક્ષિણા કે લુંટ નહિ

2. મૂર્તિ, ફોટા, નાળિયેર, અગરબત્તી, ચૂંદડી જેવા કોઈ ફાલતુ ખર્ચ નહિ.

3. પૂનમ ભરવા કે દર્શન કરવા ભાડા ભરી કે રજા પાડી ક્યાંય જવું નહિ.

4. બાધા/માનતા રાખવી કે એને પુરી કરવાની કોઈ ચિંતા નહિ.

5. પૂજા, પાઠ, હવન, યજ્ઞ, વિધિ, કથા, વાસ્તુ જેવા કોઈ ફાલતુ ખર્ચ નહિ.

6. કોઈ ગ્રહોની અંગૂઠી કે તાવીજ ના ખર્ચ નહિ.

7. કોઈ ચમત્કાર, પાખંડ કે અંધશ્રદ્ધામાં ઘસાવું કે ફસાવું નહિ.

8. પોન્ગા પંડિત જ્યોતિષીઓ કે ધુતારાઓ ના ચક્કર નહિ.

9. ભૂત, પ્રેત, ડાકણ, ચુડેલ કે પછી કોઈ અંધારાનો પણ ડર નહીં.

10. સ્વર્ગ નો લોભ નહિ કે નર્ક નો ભય નહીં.

11. અંધશ્રદ્ધાને જાકારો અને આત્મવિશ્વાસ નો વધારો.

12. પોતાના ઉદ્ધારક પોતે જ છીએ એટલું જ માની પોતાના ઉદ્ધાર માટે સતત પ્રયત્નો કરવા..નહિ કે કોક ચમત્કારિક રીતે તમને લાભ થાય એવી આશા એ બેસી રહેવું.

13. શ્રાદ્ધ કે નિવેધ જેવી ફાલતુ વસ્તુ પાછળ કિંમતી સમય કે પૈસા નો બગાડ નહિ...

14. બ્રાહ્મણોને વારે તહેવારે ફાલતુ પૈસા આપવા નહિ કે એમની માનસિક ગુલામ કરવી નહીં.

15. મુહૂર્ત ચોઘડિયા વગેરેના નાટકમાં નહિ પડવાનો સમય બચે..

અને સૌથી મોટી વાત કે જે લોકો ઉપરની 15 વાતો નથી માનતા એ પણ આ પૃથ્વી ઉપર ને આ દેશમાં બિન્દાસ્ત જીવે છે અને મજા કરે છે....

અને જે લોકો માને છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચમત્કાર માટે ભટકે છે અને આર્થિક ઘસાય જાય છે.
 🙏 જય ભીમ 🙏

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?