Posts

Showing posts from June, 2020

આંબેડકરવાદી હોવાના ઘણા ફાયદા...

1. ભગવાનના નામે કોઈ દાન દક્ષિણા કે લુંટ નહિ 2. મૂર્તિ, ફોટા, નાળિયેર, અગરબત્તી, ચૂંદડી જેવા કોઈ ફાલતુ ખર્ચ નહિ. 3. પૂનમ ભરવા કે દર્શન કરવા ભાડા ભરી કે રજા પાડી ક્યાંય જવું નહિ. 4. બાધા/માનતા રાખવી કે એને પુરી કરવાની કોઈ ચિંતા નહિ. 5. પૂજા, પાઠ, હવન, યજ્ઞ, વિધિ, કથા, વાસ્તુ જેવા કોઈ ફાલતુ ખર્ચ નહિ. 6. કોઈ ગ્રહોની અંગૂઠી કે તાવીજ ના ખર્ચ નહિ. 7. કોઈ ચમત્કાર, પાખંડ કે અંધશ્રદ્ધામાં ઘસાવું કે ફસાવું નહિ. 8. પોન્ગા પંડિત જ્યોતિષીઓ કે ધુતારાઓ ના ચક્કર નહિ. 9. ભૂત, પ્રેત, ડાકણ, ચુડેલ કે પછી કોઈ અંધારાનો પણ ડર નહીં. 10. સ્વર્ગ નો લોભ નહિ કે નર્ક નો ભય નહીં. 11. અંધશ્રદ્ધાને જાકારો અને આત્મવિશ્વાસ નો વધારો. 12. પોતાના ઉદ્ધારક પોતે જ છીએ એટલું જ માની પોતાના ઉદ્ધાર માટે સતત પ્રયત્નો કરવા..નહિ કે કોક ચમત્કારિક રીતે તમને લાભ થાય એવી આશા એ બેસી રહેવું. 13. શ્રાદ્ધ કે નિવેધ જેવી ફાલતુ વસ્તુ પાછળ કિંમતી સમય કે પૈસા નો બગાડ નહિ... 14. બ્રાહ્મણોને વારે તહેવારે ફાલતુ પૈસા આપવા નહિ કે એમની માનસિક ગુલામ કરવી નહીં. 15. મુહૂર્ત ચોઘડિયા વગેરેના નાટકમાં નહિ પડવાનો સમય બચે.. અને સ...

જાગો, સમાજ જાગો...

🌅 *રસપ્રદ અને દરેક સમાજને પ્રેરણારૂપ , અદભુત   આ  લેખ છે.* જૈન સમાજની પ્રગતિ* નો છે પણ  *દરેક સમાજને શિખવા મળે તેમ છે.* ● ૨૦૨૨ થી ૨૦૨૫ માં દેશ ના ૧૭% સનદી અધિકારીઓ (IAS) જૈનો હશે જે ૯ જૈન સંસ્થા ઓ તૈયાર કરી રહી છે. ● જો તમે સોશ્યલ મિડિઆ સર્ચ કરી રહ્યા હોય અને કોઇ પેઇજ પર અન્યાય કે સરકાર વિરોધ ની કોઇ જ ફરીયાદ ના હોય અને માત્ર ધર્મ અને વિકાસ ની વાત જ હોય તો સમજવુ કે તમે જૈન સમાજ ની કોઇ સંસ્થા ના પેજ પર છો. ● આ સમાજ પાસે કોઇ કનૈયા કુમાર કે હાર્દિક પટેલ નથી. આ સમાજ ભારત માં પારસી પછી ની સહુ થી નાની લઘુમતિ છે પરંતુ કોઇ જ અન્યાય કે અસુરક્ષા નો ભાવ નથી. બધી જ સરકાર અને બધા જ નેતા ઓ સાથે સારો સબંધ છે. માંગતા નહીં પણ કઢાવતા આવડે છે.. એ પણ સામે વાળાનુ પુરુ સન્માન જાળવી ને જ. ● ધર્મ નો પ્રભાવ પોઝીટીવ છે. ક્ષમા આપવા નો ગુણ એટલો આત્મસાત છે કે ક્યારેય કોઇ ને નુકસાન પહોંચાડતા નથી. ● રાણા પ્રતાપ ને ભામાશા બની ને સહાય કરે છતાં નેતા તો રાણા ને જ રાખે. 🕳 ભારત દેશમાં જેટલા ધર્મ પ્રવર્તે છે એ તમામ ધર્મના લોકો પૈકી સહુથી વધારે ઇન્કમટેકસ ભરનાર જૈન ધર્મી લોકો છે જે વસ્તીમાં...

ઓ મારી જાતિ...

દાતરડું પણ ઉઠાવી શકે છે. બેઠી થા, ખંખેરી નાખ ભયને ઘા કર, એના મૂળમાં મક્કમતાથી. ચીરી નાખ એની સાત પેઢીને. તારા હાથ, માત્ર કપાસ વિણવા કે, રોટલા ઘડવા પૂરતાં નથી દાતરડું પણ ઉઠાવી શકે છે. હાથ જોડી કરગરવાને જીવવું નથી કહેવાતું. ને, હિજરત કરવાથી ન્યાય નથી મળતો. સમયની ખીણમાં કેટલીય હિજરતો હિબકાભરી ડૂબી ગઈ છે. ટાઢ, તડકો ને વરસાદ વેઠી, લીમડાના ઝાડ નીચે, સરકારી કચેરી સામે, ગરીબની મજાક ઉડાવતી કયારની મરી ચૂકી છે ન્યાયની દેવી. ઊઠ, જાગ ને ગાંઠ વાળી લે તારું કોઈ નથી તારા સિવાય. તારો ધણી પણ નહીં. કોણ છે તારું અહીં ? ને, કોણ આપશે ન્યાય તને ! પેલાં સીમા પારના આંતકવાદનો ડર બતાવી દેશ લૂંટી રહ્યા છે એ. કે પછી, અંદરના જાતિવાદી આંતકવાદીઓ બેખૌફ બની ગામેગામ ફેલાઈ ગયા છે ખૂણે ખૂણે. જેની સામે ખોળો પાથરી તું બેઠી છો. એ ન્યાય તો પથ્થર પર માથું પછાડી કયારનો ચૂર ચૂર થઈ ચૂક્યો છે. ઊભી થા, આંખ ખોલ દૂર દૂર નજર નાખ અને જો, પોલીસ કોની છે ? કોર્ટ કોની છે ? સત્તા કોની છે ? સરપંચ કોનો છે ? બળાત્કારી કોણ છે ? અને, તારું કોણ છે ! તારી આબરું પર પડેલાં હાથને તારે જ વાઢવો પડશે. ન્...